Pages

Search This Website

Thursday, June 10, 2021

વિદ્યાર્થીઓ ના અભ્યાસ, ઓન લાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિત ના વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કરાયું.

 💥💻 *મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  વિદ્યાર્થીઓ ના અભ્યાસ, ઓન લાઇન  હાજરી અને  શિક્ષક  સજજતા સહિત ના  વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે*.

____________

👉 *શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા* 

************

👉🏿 *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે*. 

•••••••••••••••

➡️ *આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે*. 

°°°°°°°°°°°°°°°°°°

⏭️ *રાજ્યની પ૪૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખ કરતા વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે*. 

_______________

🔁 *મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube  ટૂલથી એનેલાઇઝ કરાશે*. 

*************

⏯️ *સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે*. 

____________

આ પણ જુઓ : ધોરણ 1 અને 2 પ્રજ્ઞાનું નવું માસવાર અભ્યાસક્રમ આયોજન

⏭️ *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના ભવન લોકાર્પણ સાથે વિડીયો વોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ સહિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા* 

••••••••••••••••••

⏭️ *મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડે૫ટેવી લર્નીંગ એપ નો પણ પ્રારંભ થયો છે*.

_______________ 

➡️ *આ પ્રોજેકટ અન્વયે ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે*.   

**************

➡️ *ઘરે સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા  હોય તેવા ધોરણ 1 થી 12ના  56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે*. 

➖➖➖➖➖➖➖➖➖

⏯️ *આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે*. 

_____________

👉 *આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે*.

**************

👉🏿 *ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રીશ્રીના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે ૧૦ જૂનથી ૧૦ જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે*. 

➖➖➖➖➖➖➖➖➖

➡️ *કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે*. 

--------------------

⏭️ *નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે*. 

--------------------

➡️ *જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો-૧ થી ૧૦ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે* 

_________________

👉 *એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે*

••••••••••••••••••••

👉 *વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી ૧૦ જૂનથી ૧૦ જુલાઇ દરમ્યાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે*.

No comments:

Post a Comment