Pages

Search This Website

Tuesday, November 23, 2021

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમોમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓનો સમાવેશ કરવા બાબત.

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમોમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓનો સમાવેશ કરવા બાબત.

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તા.૧૬/૧૦/૨૦૨૧ના પરિપત્ર ક્રમાંક: ટીઆરએફ/૧૦૨૦૨૧/૪૩૬૭૪૭/ગ-૨ થી સામાન્ય વહિવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ જાહેર હિત, વહીવટી જરૂરીયાતો તથા કામના હિતને પ્રાધાન્ય આપીને શક્ય હોય ત્યાં સુધી પતિ પત્નીને એક જ સ્થળે રાખવા અંગેના તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનું સર્વે વિભાગોને પાલન કરવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે. આ પરિપત્રમાં "રાજ્ય ૨ાકારના બોર્ડ, કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીની નોકરી મોટેભાગે બિન-બદલીપાત્ર હોય છે. આવા સંજોગોમાં પાંત કે પત્ની, જે રાજ્ય કે પંચાયત સેવામાં ફરજ બજાવતા હોય તો તેને બદલીથી અથવા સમકક્ષ જગ્યા ઉપર પ્રતિનિયુક્તિથી એક જ સ્થળે નજીકના સ્થળે નિમણૂંક આપવાની વિચારણા કરવાની રહેશે. આ પ્રકારે બદલી/પ્રતિનિયુક્તિથી નિમણૂંક કરતા પહેલા ૨ક્ષમ સત્તાધિકારીએ જાહેર હિત વહિવટી જરૂરીયાત અને કામગીરીને પ્રાધાન્ય આપવાનું રહેશે. તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.




વિભાગના તા.૧૮/૦૨/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક: પીઆરઈ/૧૧-૨૦૧૨/૧૧૬૫/૬ થી રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમોમાં પતિ કે પત્ની શિક્ષક કે િિક્ષકાની નોકરી કરતા હોય ત્યારે તેમના પત્ની કે પતિ ગુજરાત સરકારના અન્ય ખાતાં, પંચાયત સેવા, ભારત સરકારના ખાતા, ગુજરાત સ૨કા૨ના બોર્ડ કોર્પોરેશન કે ભારત સરકારના બોર્ડ, કોર્પોરેશન કે ભારત સરકારના બોર્ડ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તો તે બંનેને પણ શિક્ષક દંપતિના ધોરણે અગ્રતા આપીને બદલીનો લાભ આપી શકાશે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. આ જોગવાઇમાં રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતાં શિક્ષક કે શિંકાના પતિ કે પત્ની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં હોય તો તેમનો રામાવેશ કરવામાં આવેલ નથી.




ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહિવટી કર્મચારી દ્વારા તા.૨૩/૧૦/૨૦૨૧ના પત્રથી(નકલ સામેલ ) સામાન્ય વહિવટ વિભાગના તા.૧૬/૧૦/૨૧ના પરિપત્રનો લાભ બિન રારકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને આપવા રજૂઆત કરેલ છે. આથી, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા




તા.૧૬/૧૦/૨૨૧ના પરિપત્રથી કરવામાં આવેલ જોગવાઈ ધ્યાને લઇ, તા.૧૮/૦૨/૨૦૧૪ના ઠરાવમાં સુધારો કરી ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના પતિ કે પત્ની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં હોય તો તેઓને પણ બદલીનો લાભ આપવા અંગે નિયમાનુસારની વિચારણા કરવા વિનંતી છે.

Read More »

Monday, November 22, 2021

ONLINE ATTENDANCE PORTAL* *UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE*

ONLINE ATTENDANCE PORTAL
UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE


આમ,PM POSHAN(M.D.M) યોજના અંતર્ગત બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી મુખ્ય શિક્ષક દ્વારા PM POSHAN Application માં તા.૦૧/૦૩/૨૦૨૪થી બંધ કરીને હાલ શાળામાં કાર્યરત "SMART ATTENDANCE Application" માં જ બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની ડેટા એન્ટ્રી તમામ ધોરણના વર્ગશિક્ષક દ્વારા કરવામા આવે તે બાબતે તમામ શાળાઓને સુચના આપવા વિનંતી છે.

અગત્યની લીંક


MDM ની દૈનિક હાજરી SMART ATTANDANCE એપ્લિકેશન પર કરવા માટેની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો.

*ONLINE ATTENDANCE PORTAL* પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે *શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે.* જેમાં રજા માટે *આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.*

1. *Maternity Leave (ML) - પ્રસુતિની રજા*
2. *Under Suspension (US) - ફરજ મોકુફી*  
3. *Leave Without Pay (LWP) - કપાત પગારની રજા* 

શાળાના LOGIN માં શિક્ષકોની હાજરીના ભરતા સમયે આ રજાઓના પ્રકાર પૈકી શિક્ષકોની રજાની વિગતો ભરતા સમયે લાગુ પડતો પ્રકાર પસંદ કરવાનો રહેશે. *આ માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે.*

અગત્યની લીંક


ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.

યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન હાજરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો

શાળા શરૂ થયાના પ્રથમ 30 મિનિટમાં શિક્ષકોની ઓનલાઈન હાજરી SSA પોર્ટલ પરના ઓનલાઈન એટેડન્સ માં પુરી દેવી ફરજીયાત છે. બપોરની શાળા હોય ત્યારે 11.30 વાગ્યા સુધી શિક્ષકો ની ઓનલાઈન હાજરી પુરી શકાય છે. પછી બાળકોની હાજરી ઓનલાઈન કરવાની થાય છે. બાળકોની હાજરી તમે બપોર સુધી પુરી શકો છો. શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરી પૂર્યા પછી એકવાર રિપોર્ટ ચેક કરી લેવો. કોઈવાર સર્વર એરરને કારણે હાજરી સબમીટ થઈ શકી હોતી નથી અને આપણે રિપોર્ટ ન જોયો હોય તો એ દિવસની ઓનલાઈન હાજરી બાકી રહી જાય છે. માટે દરેક શિક્ષકે એકવાર રિપોર્ટ જોઈ લેવો. કોઈ બાળક એલ.સી થી નવો પ્રવેશ લે છે તો પહેલા ચાઈલ્ડ ટ્રેકિંગમાં એ બાળકનું નામ ઉમેરી દેવું પડશે ત્યારબાદ ઓનલાઈન હાજરીમાં એ નામ ઓટોમેટિક આવી જશે. ઓનલાઈન હાજરીનું સર્વર જ્યારે સાઈનોરાઈઝ થશે એટલે એ નામ એમાં આવી જશે. ઓનલાઈન હાજરીમાં બાળકનું નામ આવતા કોઈકવાર એક અઠવાડિયા જેટલો સમય પણ લાગે છે.

પ્રથમવાર યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગીન કરી લો


ઓટોમેટિક લોગીન માટે ખાસ શરુઆત મા દરરોજ કેપ્ચા કોડ માગે તો નાખવો નહીં ફક્ત બીજી વાર આપેલી લીંક થી ખોલશો તો ઓટોમેટિક લોગીન થવા લાગી જશે.


નોંધ- પ્રથમવાર યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગીન કરી લો. પછી ગમે ત્યારે લોગીન કરો તો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડની જરૂર નહીં પડે. કદાચ કેપ્ચા કોડ માગે તો નાખવો નહીં એક સ્ટેપ પાછા જઈ ફરી ઓપન કરશો એટલે ઓટોમેટિક લોગીન આવી જશે. અથવા ઉપરની લિંક થી બીજી વાર ખોલશો તો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નહીં નાંખવો પડે.

ઓનલાઇન હાજરીમાં એકવાર લોગીન કરો કાયમની શાંતિ

જો પછી લોગીન પછી કેપ્ચા કોડ માંગે તો એક વખત બેક બટન દબાવી પાછા જાઓ, લોગીન નહીં જ કરવું પડે કેપ્ચા કોડ પણ નહીં નાખવો પડે

ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.

ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.

યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે.


ઓનલાઇન હાજરી પુરવા માટે કેપ્ચા કોડ ની ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે માટે કેપ્ચા કોડ વગર ઓનલાઇન હાજરી કેવી રીતે બોલી શકાય તે માટે મહત્વપૂર્ણ માહિતી મુકવામાં આવી છે તમારી વિચારવાની પાસવર્ડ કેપ્ચા કોડ વારંવાર નાખવા નહી પડી એકવાર નાખ્યો એટલે કાયમ માટે ની શાંતિ માટે વિવિધ માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે

ઓનલાઇન હાજરી પુરવા માટે સરળતા રહે તે માટે વિવિધ માહિતીનું સંકલન કરે એ મુકવામાં આવશે શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની હોય કે બાળકોની ઓનલાઇન હાજરી ભરવાની હોય કે શિક્ષકોની ઓનલાઇન હાજર રિપોર્ટ જોવાનું હોય અથવા તો વિદ્યાર્થીઓ ની ઓનલાઇન હાજરી નો રિપોર્ટ જોવાનો હોય તે તમામ વિગતો સરળતાથી જોઈ શકાય અને એક જ સાથે ઓછા નેટવર્કમાં કર્યો મોબાઈલનું નેટવર્ક ઓછું આવે છે તે તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો મિત્રો એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ કરે છે તે તમામ મિત્રો માટે ઉપયોગી છે અને મોબાઇલમાં આ સુવિધા કામ લાગશે નહીં માટે એન્ડ્રોઇડ મોબાઇલ જે મિત્રો ઉપયોગ કરીને તમામ મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી મોકલતા રહેવું અને વધુમાં વધુ શિક્ષકોની માહિતીનો ઉપયોગ કરે તે માટે વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ.

ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.

યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે.
Read More »

Wednesday, November 17, 2021

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર : સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ સમજૂતી કરાર

 મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર : સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ સમજૂતી કરાર

........... 

રાજ્યના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીયકક્ષાનું શિક્ષણ મેળવવા તક મળશે 

– શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી 

........... 

આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ધોરણો ધ્યાને રાખી ધોરણ-૬થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સર્વોત્તમ અભ્યાસક્રમ તૈયાર કરાશે

વિદ્યાર્થીઓને દ્વિભાષી માધ્યમથી શિક્ષણ અપાશે

.............. 

આજે ગાંધીનગર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે સર્વોત્તમ અભ્યાસક્રમ ઘડી શકાય તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી કરારથી રાજ્યના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીયકક્ષાનું શિક્ષણ મેળવવા તક મળશે તેવો વિશ્વાસ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. 

શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ વધુ વિગતો આપતાં કહ્યું કે, સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે આ પ્રથમ સમજૂતી કરાર છે.  આ એમઓયુ કરવાનો હેતુ ૨૧મી સદીના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ધોરણોને ધ્યાને રાખી ધોરણ-૬થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સર્વોત્તમ અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે. કેમ્બ્રિજ સાથેની આ ભાગીદારી આવનારા સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર વધુ ઊંચું લઇ જવા માટે મદદરૂપ સાબિત થશે.

આ એમઓયુ અભ્યાસક્રમમાં ઘડતર, મૂલ્યાંકન, શૈક્ષણિક અને ભૌતિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ, શિક્ષકોની તાલીમ વગેરેને આવરી લેવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓ વધુ કૌશલ્યવાન બને તે માટે અંગ્રેજીનું શિક્ષણ તેમજ દ્વિભાષી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા, શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ.જે. શાહ તથા કેમ્બ્રિજ સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણ રાજામણી ઉપસ્થિત રહ્યાં હતા.

Read More »

Tuesday, November 16, 2021

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકો માટેના પ્રવેશ, ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત

 ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકો માટેના પ્રવેશ

ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ ૧૨ (બી / એ.બી. ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નીટ-યુજી ૨૦૨૧ માં ઓલ ઇન્ડિયા ઓવર ઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે-તે કાઉન્સિલ ના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની કૉલેજમાં (સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના સમાવેશ સાથે) ઉપરોક્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રવેશ માટે અરજી (નોંધણી) અને પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવશે.


ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેનો પિન (PIN) પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પરથી ઓનલાઇન રૂ. ૨૦૦/- (બસો રૂપિયા પુરા,/ નોન-રીફંડેબલ) ની ચુકવણી પર ઉપલબ્ધ થશે.

ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે, ઉમેદવાર, પોતાની જાતે, રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે, અરજી ચકાસણી કરાવવા માટેની સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. જાહેર રજાઓ અને રવિવારના રોજ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. બાકી ના દિવસો માટે ઉપર મુજબની પ્રક્રિયા ચાલુ રહેશે. લોકલ કવોટાના ઉમેદવારો માટે; જે ઉમેદવાર શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરત ના લોકલ ક્વોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય, તેવા ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ સુરત ના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે જે અંગે સંબંધિત કોલેજ નો સંપર્ક કરવો.

*સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના ઉમેદવારો માટે: સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ૧૨મું ધોરણ (બી / એ.બી. જૂથ સાથે વિજ્ઞાન પ્રવાહ) ભારતમાં કોઈપણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું છે અને નીટ-યુજી ૨૦૨૧ માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકારના પ્રવેશ નિયમો અનુસાર અને સંબંધિત કાઉન્સિલના નિયમોને પાત્ર હોય તેવા


વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફોર્મ ભરી શકશે. એન.આર.આઇ. ઉમેદવારો માટે: ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, વહીવટી ફી તરીકે “ACPUGMEC, payable at Gandhinagar” નામનો રૂ. ૧૦,૦૦૦/- (દસ હજાર રૂપિયા પુરા/-) નો ડિમાન્ડ ડ્રાફ્ટ, એડમિશન કમિટીની ઓફિસ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હેલ્પ સેન્ટરોની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે. પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી વેબસાઇટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિમિત દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર આ વેબસાઇટની મુલાકાત લેવી..

અગત્યની લિંક

મેડિકલ પ્રવેશ પ્રક્રિયા માટેની જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ: હવે પછીની તમામ પ્રવેશ પ્રક્રિયાની માહિતી એડમિશન કમિટીની વેબસાઇટ (www.medadmgujarat.org) ઉપર જ પ્રસિદ્ધ કરવામાં આવશે.

Read More »

Tuesday, November 9, 2021

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

 પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શરૂ થશે.

ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની કવાયત્

1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા

ધો 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડાશે

સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ કરાશે 

વર્ગ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના દિવસમાં થશે વધારો

કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે હવે ડિસેમ્બરથી બાકી રહેલા ધોરણોના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સરકારે મન બનાવી લીધૂ હોય તેવા સંકેત મળી રહ્યા છે. 



અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

    5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.

Read More »

Sunday, November 7, 2021

રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ

રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ

મહત્વપૂર્ણ લિંક

રણોત્સવ પેકેજ ની માહિતી માટે અહીં ક્લિક કરો

રણોત્સવ ઓનલાઈન બુકિંગ માટે અહીં ક્લિક કરો

રણોત્સવ વધુ પેકેજ ની માહિતી માટે અહીં ક્લિક કરો

કચ્છ માં જોવાલાયક વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી માટે અહીં ક્લિક કરો

*કચ્છ દર્શન*

તમે કચ્છમાં ફરવા માટે આવવાનું વિચારતા હોય તો આ મેસેજ આપના માટે જ છે.

(આગળનું સ્થળ ગૂગલ મેપમાં લોકેશન દ્વારા જોઈ લેવું )

🥘 ભોજન વ્યવસ્થા

☑️ નિવાસની સુવિધા

રાધનપુરથી કચ્છ આવતા હોય તો સાંતલપુર આડેસર થઈને

👉🏻મોમાયમોરા મોમાય માતા મંદિર

👉🏻વ્રજવાણી 🥘 ☑️

(રવેચી રવેચી મંદિર )

બાલાસર થઈને ધોળાવીરા તરફ જતા

👉🏻છિપર પોઈન્ટ - અમરાપર

રતનપર ☑️/

*સાંતલપુરથી ડાયરેક્ટ ધોળાવીરા પણ જવાશે..*

👉🏻ધોળાવીરા (નાઈટ)🥘 ☑️

👉🏻ધોળાવીરા મ્યુઝિયમ

👉🏻પુરાતત્વીય ઉત્ખનન સાઈટ

👉🏻ફોસિલ પાર્ક

👉🏻ભંજડો ડુંગર દત્તાત્રેય મંદિર

ધોળાવીરાથી ખાવડા (રણના રસ્તે)

👉🏻ખાવડા ચા- નાસ્તો (ખાવડાનો માવો, ચવાણું)

👉🏻કાળો ડુંગર 🥘☑️

👉🏻ઈન્ડિયા બ્રિજથી police&BSF પરમિશન જોઈએ

(વિઘાકોટ બોર્ડર - ભેડિયા બેટ હનુમાન મંદિર)

👉🏻ધોરડો 🥘☑️ ( ભુંગા રિસોર્ટમાં નાઈટ ) અથવા ભુજ પણ આવી શકાય




👉🏻હાજીપીર

👉🏻માતાના મઢ 🥘☑️

દયાપર 🥘

👉🏻લખપત ફોર્ટ સાઈટ

👉🏻ગુરુદ્વારા લખપત 🥘☑️

👉🏻નારાયણ સરોવર 🥘☑️

👉🏻કોટેશ્વર

નલિયા થઈને

👉🏻પિંગલેશ્વર મહાદેવ 🥘☑️

👉🏻બીચ

👉🏻અંબેધામ ગોધરા 🥘☑️

માંડવી

👉🏻વિજય વિલાસ પેલેસ

👉🏻માંડવી બીચ

👉🏻 ક્રાંતિ તીર્થ

👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️

👉🏻૭૨ જિનાલય 🥘☑️

👉🏻ધ્રબુડી મંદિર ગુંદિયાળી

મુંદ્રા તરફ

👉🏻મુંદ્રા પોર્ટ

👉🏻ભદ્રેશ્વર 🥘☑️

👉🏻અંજાર - જેસલ તોરલ સમાધી

👉🏻 ગોવર્ધન પર્વત સત્તાપર🥘

અંજાર બજારમાં શોપિંગ

👉🏻 સૂરજબારી ટોલ પાસે નવા કટારિયા માનસધામ હનુમાન મંદિર 🥘☑️

*ભુજ*

👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️

👉🏻ભુજના મ્યુઝિયમો

👉🏻હમીરસર તળાવ રાજેન્દ્ર પાર્ક

👉🏻ભુજ મહારાવની છતેડી

👉🏻ભુજિયો ડુંગર

ભુજ અને ભુજોડી શોપિંગ

👉🏻 ત્રિમંદિર ભુજ 🥘☑️

👉🏻યક્ષ મંદિર માધાપર🥘☑️

👉🏻રક્ષકવન

👉🏻રુદ્રાણી માતા મંદિર

👉🏻ધ્રંગ દાદા મેકરણધામ 🥘☑️

👉🏻 પુંવરેશ્વર મહાદેવ મંદિર (મંજલ પાસે)

👉🏻વિથોણ ખેતા બાપા સંસ્થાન 🥘☑️

👉🏻 યક્ષ મંદિર

👉🏻કળિયા ધ્રો (સ્થાનિકને સાથે રાખવા)

👉🏻ચાડવા રખાલ (સામત્રા ગામ પાસે)

👉🏻થાન જાગીર અને ધિણોધર

👉🏻શિવ મંદિર કેરા

👉🏻 અબજીબાપા છતેડી બળદિયા 🥘☑️

(ભુજ રોકાણ કરીને નજીકના તમામ સ્થળોએ આવ-જા પણ કરી શકાય)

(કચ્છમાં જૈન મંદિરો અને સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા જમવાની સગવડ હોય છે)

(ઓનલાઈન હોટલ/રિસોર્ટ બુકિંગ પણ કરાવી શકાય)

*આ રૂટ તમે નીચેથી ભુજ/ભદ્રેશ્વરથી શરૂ કરીને ધોળાવીરા તરફથી પરત જઈ શકો..*
ગુજરાત રાજ્યના કચ્છ માં ફરવા જવું હોય તો તમારા માટે ખૂબ જ મહત્વની અને બધાને ઉપયોગી થાય તેવી સમગ્ર રાજ્યના લોકો માટે તથા ભારત દેશનાં તમામ રાજયોના લોકોને વાંચવાલાયક માહિતી મુકવામાં આવેલી છે ગુજરાત રાજ્યના લોકો તથા ભારતના અન્ય તમામ રાજ્યના લોકો ગુજરાતમાં ફરવા જવાનું થાય એમ જ કચ્છમાં ભરવાનું જવાનું થાય તો તેમને માટે ખરેખર ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવી છે કચ્છ રણોત્સવ વિશે ની ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવો કચ્છના રણના પેકેજ ની માહિતી મેળવી કેટલા રૂપિયા છે કઈ જગ્યાએ ના કેટલા રૂપિયા ચાર્જ થશે ઓનલાઇન કરી બેઠા પેકેજ ની તમામ માહિતી મળી શકો તથા ઓનલાઈન તમે તેને વોકિંગ પણ કરી શકો છો ઓનલાઇન તમે તેની નોંધણી કરાવી સાથે તે જોવા માટે એડવાન્સ બુકિંગ પણ અહીંથી લીંક ઉપરથી કરી શકશો તમે અહીં વિવિધ માહિતી મુકવામાં આવી છે તેમને ખરેખર હશે ઘરે બેઠા તમે તમારું બધું આયોજન કરી શકશો બધી માહિતી મેળવી શકશો તમામ અંદાજીત ખર્ચ પણ લગાવી શકશો તમારો અંદાજ કાઢવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે તમારો અંદાજ નીકળ્યા બાદ તમારો ખર્ચની વિગત તમે જાણી શકશો અંદાજીત ખર્ચ સાથે તમારા અન્ય ખર્ચ ઉમેરી તમે તમારું પોતાનું અંગત પેકેજ પણ તમે બનાવી શકો છો પેકેજની વિવિધ માહિતી સાથે સાથે અહીં કચ્છમાં જોવા લાયક સ્થળ છે રહેવાની સગવડ કેવી છે કે નહીં કઈ જગ્યાએ રહેવાની સગવડ છે કઈ જગ્યાએ નથી આવી તમામ માહિતી એક નાના પેજમાં પણ મૂકવામાં આવી છે જેના અંતર્ગત તમે કચ્છમાં જોવા લાયક સ્થળો વિશેની માહિતી પણ મેળવી શકશો કચ્છમાં જતા હોય તો કચ્છ જિલ્લાના ખરેખર તેવા સ્થળ જોવાલાયક છે કયા સ્થળ રહેવાની સગવડ છે કે સુવિધા તમને મળી રહે તેમ છે તમારા ઘરે બેઠા છે તે મારે જાણવું હોય તો ફક્ત એક જ તમે જાણી શકો છો અહીં માહિતી મુકવામાં આવી છે આવું મારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે એ ગ્રુપમાં અમે આવી જુદી જુદી માહિતી મૂકતા હોઈએ છીએ તો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાયેલા હોય તે તેમને જોડાવા વિનંતી કરવામાં આવે છે કચ્છ રણોત્સવ વિશે ની જે પણ કંઈ માહિતી મળશે તેવું પ્રોજેક્ટ સંશોધન whatsapp પર મુકવાનો પ્રયત્ન કરશો તમે પ્રોજેક્ટ ત્રણ વર્ષે પણ જોડાયેલા છો તો કચ્છ રણોત્સવ અને તેના સ્થળો વિશેની માહિતી આવતી જતી હશે તે તમામ માહિતીઓ મુકવાનો પ્રયાસ કરવામાં આવશે જે માહિતી અને મુખ્યત્વે તેમની પ્રોજેક્ટર શોધ whatsapp દ્વારા મળવાની શક્યતાઓ રહેલી છે માટે જો તમે કોઈ પ્રોજેક્ટ અંતર્ગત whatsapp ગ્રુપમાં જોડાયેલા અને કચ્છ પ્રવાસ વિશે અથવા તો કચ્છના વિવિધ સ્થળો છે અથવા રણોત્સવ વિશે અથવા તેના ઓનલાઈન બુકિંગ વિશે માહિતી જોઈતી હોય તે તમામ માહિતી તમને વોટ્સએપ દ્વારા મળવા માટેની શક્યતાઓ રહેલી છે માટે જો તમે કોઈ પણ તમારી આસપાસમાં પાડોશમાં કોઈપણ ઉપકરણ શોધો ના હોય તો જોડાઈ જવાનો પ્રયત્ન કરજો દરેક પોસ્ટમાં અમારી whatsapp માં જોડાવા મૂકેલી હોય છે એ દિનભર તમે જોડાઇને કચ્છ રણોત્સવ વિશે અથવા તો તેને લગતી જે માહિતી આવતી હશે તે માહિતી મુકવાનો પ્રયાસ કરવામાં આવશે ભવિષ્યમાં બીજા અનેક સ્થળો વિશેની પણ માહિતી આપશે તેવી મુકવાનો પ્રયત્ન કર્યો હશે તમે ખરેખર ઉપયોગી થશે.

રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ

કચ્છ રણોત્સવમાં ફરવા જવું હોય તો તેની વિવિધ માહિતી 

કચ્છ રણોત્સવ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો તેનું ઓનલાઇન બુકિંગ અને તેના પેકેજ ની વિગત પણ ગરીબ તમે જાણી લેજો એક વાર વિગતો જાણીને જવું સારું તો જોયા બાદ તમારા પેકેજની વિગતો જાણવી ના કરતો ઘરે બેઠા જાણી લેવી ખૂબ જ સારી પોતાની તમામ અંદાજિત વિગતો જાણી અને પછી જવાથી ઘણો બધો ફાયદો થતો હશે એને ઘરે બેઠા સરસ મજાનું આયોજન કરી શકાતું હોય છે માટે જો તમે કચ્છમાં પ્રવેશ પ્રવાસ કરવાનો જવાનું થતું હોય તો ફરવા જવાનું થતું હોય અથવા તો કચ્છના પ્રવાસમાં જવાનું થતું હોય તો તમે બધી વિગતો તમારા ઘરે બેઠા જાણી લેજો અહીંયા જુદી-જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે તેમને ઉપયોગી થાય તે માટે જવાબદાર ન કરેલ છે કચ્છ પ્રવાસ વિશે ની કાકા સ્થળો તમે જોઈ શકો જોવાલાયક સ્થળો કેટલા છે એ તમામ સ્થળો ની વિગત થોડી થોડી વિગત મૂકવામાં આવી છે કચ્છમાં જોવા લાયક સ્થળો ની વિગત જાણવા માટે પણ આપણને ખૂબ જ ઉપયોગી થશે માટે તમારે જ્યારે પણ કોઈ ફરક જ પ્રવાસ જવાનું થાય તો તે સમયે ઉપયોગી વસ્તુ તમે એક વાર જોઈ લેજો અને પછી જ કચ્છના રણોત્સવમાં પ્રવાસ જવા વિનંતી કરવામાં આવે છે જતા પહેલા જાણવું સારું 


રજાઓમાં બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય તો કચ્છ રણ ઉત્સવ છે વર્લ્ડકલાસ હેરિટેજ.

Read More »

Saturday, November 6, 2021

વિધાનસભા ચુંટણી,ગ્રામપંચાયત, નગર પાલિકા ની વોર્ડ વાઈઝ મતદાર યાદી ડાઉનલોડ કરો

તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરો. આ લિંકથી. 


તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ*

નવુ નામ નોધાવવુ - *ફોમઁનં - ૬*

નામ કમી કરાવવુ - *ફોમઁ ન - ૭*

નામ માં સુધારો - *ફોમઁ નં - ૮*

સ્થળ બદલવુ - *ફોમઁ નં - ૮ ક*



ભારત દેશનો વ્યક્તિ 18 વર્ષ થાય એટલે મતદાનનો અધિકાર દરેક યુવાને યુવતીને મળતો હોય છે જે યુવતીને 18 વર્ષ થયા હોય અને ભારતના નાગરિક હોય તેવા તમામ ની ચૂંટણી દરમિયાન મતાધિકાર મળતો હોય છે પણ મતાધિકાર મેળવવા માટે મતદાર યાદીમાં નામ હોવું ખૂબ જ જરૂરી છે ચૂંટણી કાર્ડ હોવું એટલું જરૂર નથી એટલું જ જરૂરી મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો જો મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો કારણસર નામના આવ્યું હોય અથવા તો નામ રદ થઈ ગઈ હોય તો તમે મતદાન કરી શકતા નથી તે વોટિંગ કરી શકતા નથી વોટ કરવા માટે સૌથી મહત્વની વિગત એ છે કે તમારું નામ મતદારયાદીમાં હોવું ખૂબ જ જરૂરી છે મતદાર યાદીમાં નામ છે કે નથી કેવી રીતે ખબર પડે તે જાણવા માટે અહીં એમાં એક લીંક મૂકેલી છે તે દ્વારા તમે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ઓનલાઇન ચેક કરી શકો છો તો તમારું નામ તમારો તમારો ભાગ નંબર તમારી વિગત કયા સ્થળે મતદાન કરવાનું છે તમામ વિગતો તમે જોઈ શકો છો તમારા કુટુંબના સભ્યોની વિગતો પણ તમે તમે જોઈ શકો છો તમારી સોસાયટીનું નામ અને ઘરનું નામ જે ઓનલાઇન હોય એ તમે જોઈ શકો છો નામ હોવું ખૂબ જ જરૂરી છે એ માટે એની પ્રોસેસ પણ કરવામાં આવતી હોય છે જે યુવાન યુવતીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તો તમામ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તમારે કોઈ સુધારો કરવો હોય એવું નામ ચડાવવા હોય નામ કમી કરવું હોય સરનામુ બદલ્યું હોય તમામ જાતની પ્રોસેસ કરવામાં આવતી હોય છે આપણી આસપાસ જે પણ યુવાન યુવતીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેવા તમામ યુવતીની તમે જાણ કરજો કે આસપાસમાં આપેલ મતદારયાદી કાર્યક્રમ મુજબ એની તારીખ હોળીના દિવસોમાં તમારું નામ ચઢાવી શકો છો મતદાર યાદીમાં નામ ચડાવવા ની પ્રોસેસ તમામ અહીં આપવામાં આવેલી છે એક બી એલ ઓ દ્વારા તમારા મતદાન મથકે તેને સુધારણા કાર્યક્રમ ની પ્રોસેસ કરવામાં આવતી હોય છે દર રવિવારે જે તારીખ ફાળવેલી હોય એ તારીખ દરમિયાન જ તમને કામગીરી નો લાભ મળી શકતો હોય છે આ કામગીરી કાયમી તમે ચાલતી હોતી નથી ક્યારેક જ સરકાર દ્વારા કાર્યક્રમ ચલાવવામાં આવતો હોય છે જ્યારે જ્યારે આવો કાર્યક્રમ આવે ત્યારે તમારે જે પણ સુધારા કરવા હોય એ તમામ સુધારાઓ તમે કરાવી શકું છું તે માટેના ફોર્મ કયા ફોર્મ ની જરૂર પડે તેની વિગત પણ આપેલી જ છે તમારે કયા કયા ફોર્મ ની જરૂર પડશે એટલે ફોન તમને ત્યાંથી જ મળી જશે ફક્ત તમારે તમારા પોતાના સાધનિક પુરાવા આધારકાર્ડ છે ને ઘેર હોય અને કોઈ દાખલાઓની જરૂર હેલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય જન્મ તારીખ નો દાખલો હોય આવા વિવિધ જરૂર પડતા તમે ઉપયોગ કરી શકો છો

આપણા દેશમાં ચૂંટણી દરમિયાન મતદાન કરવા માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે 18 વર્ષ પૂર્ણ થાય બાદ આપણે મતદાન કરી શકીએ છીએ પણ તે માટેની તમામ પ્રોસેસ પહેલા કરવી જોઈએ પછી જ આપણને મતદાન કરવા મળતું હોય છે મતદાન ડાયરેક્ટ કરવા મળતું નથી તેની નોંધણી થાય તેની નોંધ દરેક મતદાન મથકો દ્વારા કરવામાં આવતી હોય છે બિલ દ્વારા તમારે પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ જ મતદાર યાદીમાં તમારું નામ હોય તો જ તમે મતદાન કરી શકતા હોય છે અને ચૂંટણીમાં વોટ આપી શકતા હોય છે ચૂંટણીમાં વોટ આપવા માટે આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે તે માટે જ્યારે જ્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નવા નોંધણી કાર્યક્રમ આવે ત્યારે તેમાં તમારે પૂર્ણ કરી તમારા સાધનિક કાગળો આપી તમામ ફોર્મ ભરી સબમિટ કર્યા બાદ જ તેની પ્રોસેસ થતી હોય છે ત્યારબાદ તમે વોટિંગ કરી શકતા હોય છે માટે આવા જ્યારે જ્યારે કાર્યક્રમ આવે ત્યારે તમારી આસપાસ પાડોશના તમામ લોકોને એવી જાણકારી આપવી જોઈએ અને અમારા Education Union whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ પ્રોજેક્ટર whatsapp ગ્રુપ છે તેમાં તમામ પ્રકારની માહિતી મળી જશે અને જાણકારી મળતી રહેશે આ બાબતની તમારે જે જાણકારી જોઈતી હોય પ્રોજેક્ટ whatsapp માંથી મળતી રહેશે તમારી આસપાસ જેટલા પણ મિત્રો એ તમામ મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટેની સલાહ આપજો અને મતદાર યાદી સુધારણા અંગેની જે માહિતી આપશે તમામ માહિતી અમારા વોટ્સઅપ તમે મળતી રહેશે તમારી આસપાસ જેટલા પણ લોકોને મતદારયાદીમાં જે કોઈપણ સુધારા-વધારા કરવા હોય એવું ના હોય તો તમામ પ્રકારની માહિતી નો કાર્યક્રમ આવી ગયા છીએ જે આ મહિના દ્વારા તેની કામગીરી થવાની છે તેની તારીખો ની વિગત પરથી આપવામાં આવી છે તેને જોઈને તેની વિગતો જોઈ શકો છો તમારું નામ પણ તમે મતદાર યાદીમાં ઓનલાઇન ચેક કરી શકો છો જેથી તમામ માહિતી તમારા મિત્રો ને જરૂર થી આપજો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી
Read More »

Wednesday, November 3, 2021

ઈ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો*

💳 *ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો*

પોતાના ઘરની કામવાળી બહેનો નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને આ દિવાળી પર રૂપિયા ૨ લાખનો મફત વિમો ભેટમાં આપો

*કોણ છે પાત્ર?*


એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે.


*કોણ પાત્ર નથી?*


જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.

*કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય?*


રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ *CSC CENTER* પર કરાવી શકાય છે.


વધુ માહિતી *https://bit.ly/3q2qLrh* લીંક પર આપેલી છે.


*રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ*


ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક ની માહિતી અને વારસદાર ની માહિતી.


*શું લાભ થશે?*


- રૂપિયા બે લાખનો મફત વિમો.

- શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.

- ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.

💻 *ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકસો.*

*https://bit.ly/3q2qLrh*



*વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે.* વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે.

ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી,‌ આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

આ મેસેજ વાંચવા વાળા વ્યક્તિને વિનંતી છે કે કમ સે કમ આ મેસેજને પોતાના કોન્ટેક્ટ /ગ્રુપમાં શેર કરો કે જેથી જરૂરતમંદ વ્યક્તિ /શ્રમયોગીનું રજિસ્ટ્રેશન થઈ શકે.

Read More »

Monday, November 1, 2021

ધનતેરસના શુભ મુહુર્ત

 ધનતેરસ કાર્તિકના હિંદુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષ (અંધારું પખવાડિયું) ના તેરમા ચંદ્ર દિવસે ઉજવવામાં આવે છે.  ધનવંતરી, જેની ધનતેરસના અવસરે પણ પૂજા કરવામાં આવે છે, તેને આયુર્વેદના દેવ માનવામાં આવે છે, જેમણે માનવજાતની સુધારણા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું હતું, અને તેને રોગના દુઃખમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી.

 ભારતીય આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી મંત્રાલયે ધનતેરસને "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" તરીકે મનાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જે સૌપ્રથમ 28 ઓક્ટોબર 2016ના રોજ મનાવવામાં આવી હતી. સામાન્ય રીતે, ગુજરાતી પરિવારો નવા વર્ષમાં દાળ બાથ અને માલપુરાના ભોજનનો આનંદ માણશે.


ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે?


ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, ત્યારે તેમના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી જયંતી અથવા ધન ત્રયોદશી(ધન તેરસ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વાસણો અને ઘરેણા વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શા માટે કરવામાં આવે છે મહાલક્ષ્મીની પૂજા?

કહેવાય છે કે, ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવાનું પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે. સુખ, શાંતિ અને વૈભવની દેવી લક્ષ્મી છે અને ધનના દેવતા કુબેર છે, જે કારણે તેમની પૂજા અર્ચના કરવાથી લોકોને ધનની પ્રાપ્તિ થાય છે.


ધનતેરસ 2021નો શુભ સમય

ધનતેરસ તારીખ 2021 – નવેમ્બર 2, મંગળવાર
ધન ત્રયોદશી પૂજા (ધન તેરસની પૂજા) માટેનો શુભ સમય – સાંજે 5:25 થી 6 કલાક સુધી
પ્રદોષ કાલ – સાંજે 05:39 થી 20:14 સુધી.
વૃષભ સમયગાળો – સાંજે 06:51 થી 20:47 સુધી.


ધનતેરસની પૂજા વિધિ –

સૌ પ્રથમ બાજઠ પર લાલ રંગનું કાપડ પાથરો
હવે ભગવાન ધન્વંતરી, માતા મહાલક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિ અથવા ફોટાની ગંગાજળ છાંટીને સ્થાપના કરો.
ભગવાનની સામે દેશી ઘીનો દીવો, ધૂપ અને અગરબત્તી પ્રગટાવો.
હવે દેવતાઓને લાલ ફૂલ ચઢાવો.
હવે આ દિવસે તમે જે પણ ધાતુ, વાસણો કે ઘરેણાં ખરીદ્યા છે, તેને બાજઠ પર રાખો.
લક્ષ્મી સ્તુતિ, લક્ષ્મી ચાલીસા, લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર અને કુબેર સ્તુતિના પાઠ કરો.
ધન તેરસની પૂજા દરમિયાન લક્ષ્મી માતાના મંત્રોનો જાપ કરો અને પ્રસાદ ચઢાવો.


ધનતેરસના દિવસે ખરીદી કરવાના મુહૂર્ત :


ધનતેરસનો આખો દિવસ શુભ હોય છે. આ સમય ધનતેરસના દિવસે સવારે 8 થી 10 વચ્ચેનો સમય ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે. આમાં સ્થિર આરોહી (વૃશ્ચિક) હાજર રહેશે, બીજો શુભ સમય સવારે 10:40 થી બપોરે 1:30 ની વચ્ચે રહેશે. લાભ અને અમૃતના શુભ ચોઘડિયા મુહૂર્ત આ સમયે ઉપસ્થિત રહેશે. બપોરે 1:50 થી 3 વાગ્યાની વચ્ચે, ખરીદી માટે સ્થિર લગ્ન માટે શુભ સમય રહેશે. સાંજે 6:30 થી 8:30 ની વચ્ચે સ્થિર લગ્ન માટે શુભ સમય રહેશે.


This Post Quiry Search :


Dhanteras, Dhanteras 2021, Dhanteras 2021 Date, Dhanteras 2021 in India, Dhanteras 2021 in gujarat, Dhanteras 2021 Date Timing Calendar, Astrology Today, Astrology Today In gujarati, gujarati Astrology, Astrology Today In gujarati, gujarati News, gujarati news, ધનતેરસ, ધનતેરસ 2021, ધનતેરસ ક્યારે છે, ધનતેરસ 2021 ક્યારે છે, ધનતેરસ કઈ તારીખ છે, ધનતેરસ 2021ની તારીખ, ધનતેરસ લોટરી, ધનતેરસની પૂજા ક્યારે છે, ધનતેરસ કયો દિવસ છે, ધનતેરસ પર શું ન ખરીદવું જોઈએ, ધનતેરસમાં કોની પૂજા કરવામાં આવે છે. ધનતેરસમાં ખરીદો, ધનતેરસ, ધનતેરસ 2020, ધનતેરસ 2020 તારીખ, ધનતેરસનો શુભ સમય અને તારીખ, Dhanteras Pooja,

Read More »